-
ત્રિમંત્ર તો આવડે છે ને બધા ને ?
-
આવડે છે.
-
નમો અરિહંતાણં
-
એટલે અરિહંત એટલે કોણ ?
-
અરિ એટલે દુશ્મન
-
દુશ્મનો જેણે હણી નાખ્યા છે એવા પુરુષો, એમને નમસ્કાર કરું છું.
-
પણ દુશ્મન કયા ?
-
આ માણસરૂપી નહીં.
-
ષડ્ રિપુ.
-
ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ.
-
માણસોને મારીને એ તો બહુ ફેરો જીત્યા પણ તોય હારેલા ને હારેલા !
-
આ જેણે મારી નાખ્યા તે જીત્યા.
-
મોટામાં મોટા દુશ્મન આ જ છે, મહીં બેઠા છે.
-
તમારે દુશ્મનાવટ ખરી એમની જોડે ? નહીં કે ? પહેલા હતી ?
-
હા, હજી છે થોડીક.
-
હવે નથી, નહીં ?
-
હા, થોડી રહી છે.
-
એટલે એને જીત્યા એટલે થઈ રહ્યું.
-
એવા લોકોને નમસ્કાર કરું છું.
-
પછી બીજું નમો સિદ્ધાણં.
-
ષડ્ રિપુ જીતી અને દેહવાળાય પણ નથી આજ
-
અને સિદ્ધગતિમાં બિરાજમાન છે સંપૂર્ણ. તેમને નમસ્કાર કરું છું.
-
ત્યારે કહે સૌથી મોટામાં મોટા તો એ કહેવાય.
-
કેમ એમને નમસ્કાર ના કર્યાં ?
-
ત્યારે કહે એ કશું કામ લાગે નહીં આપણને,
-
કામ તો આ રૂબરૂ છે તે કામ લાગે
-
અને તે આપણું રાગે કામ કાઢી આપે
-
અને ભૂલ હોય તો દેખાડે.
-
એટલે પહેલા એમનો ઉપકાર આમનો, વધારે ઉપકારી આ.
-
એટલા માટે પહેલા મૂક્યા એમને. સમજ પડી ને ?
-
તે કેટલા અરિહંત છે ?
-
છ
-
હેં
-
છ
-
ચોવીસ.
-
ચોવીસ.
-
હંઅ. હવે એ ચોવીસને આ જગતના બધા
-
જૈનો અને સાધુઓ અરિહંત કહે છે ચોવીસેયને.
-
હવે એ લોકોને સમજણ પાડું છું કે એ ચોવીસ અત્યારે અરિહંત છે કે સિદ્ધ છે?
-
ત્યારે કહે એ તો સિદ્ધ કહેવાય.
-
ત્યારે મેં કહ્યું ત્યારે મૂઆ ! અરિહંત શું કરવા કહો છો જે સિદ્ધ થયેલા એને બિચારા ને?
-
હા, એક ફેરો વડાપ્રધાન થયો પછી એને ગવર્નર શા હારું કહો છો?
-
શું કહ્યું ?
-
હા, હા, બરાબર.
-
પછી એને ખરાબ ના લાગે બળ્યું વડાપ્રધાનને ?
-
ગવર્નર હતો તેનો વડાપ્રધાન થાય
-
પછી આપણે એને ગવર્નર કહીએ તો એને ખરાબ ના લાગે ?
-
આમને અરિહંત કહે છે તેથી તેને ખરાબ લાગે છે.
-
જો કે ખરાબ કોઈને લાગતું નથી પણ એનું નુકસાન આમને થાય છે.
-
એમને અરિહંત જડતો નથી ને અરિહંતનું બોલેલું નકામું જાય છે એટલે
-
આખો નવકાર મંત્ર ફળતો નથી.
-
એ તો મેં ભૂલ દેખાડી, મેં કહ્યું શું ભૂલ ?
-
આ આ તો સિદ્ધગતિમાં છે.
-
એ સિદ્ધને આપણે અરિહંત ના કહેવાય.
-
હવે અત્યારે કોણ અરિહંત છે ? એ અરિહંત એટલે દેહધારી હોવો જોઈએ
-
અને કેવળજ્ઞાન સહિત હોવો જોઈએ
-
અને લોકનું, લોકનું કલ્યાણ કરતા હોય એ અરિહંત.
-
તો કહે અત્યારે તો એવો કોઈ છે નહીં.
-
મેં કહ્યું આ મહાવીર છેલ્લા હતા તો દેખાડતા ગયા કે આ સીમંધર સ્વામીને કરજો કહેશે.
-
શું કહે છે ?
-
એ તમારા અરિહંત કહે છે.
-
બીજા ત્યાં આગળ છે પણ બીજાના નામ તમારે દેવા હોય તો દેજો, નહીં તો પછી આ એક તો કરજો.
-
શું ખોટું કહે છે ? હેં, ખોટી વાત છે એ કંઈ ?
-
ના.
-
તો આ સીમંધર સ્વામી તમારા અરિહંત.
-
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં.
-
એટલા હારુ આ દેરાસર એ બાંધવાના આ લોકોને,
-
આ લોકોની ભૂલ ભાંગવા હારુ કરવું પડે છે ને.
-
હા.
-
ભાંગવી તો પડશેને જ્યારે-ત્યારે ? નહીં તો લોક મીસ યુઝ કરશે.
-
સાધુઓને કષાય જતા નથી.
-
સંસારીઓને કષાય જતા નથી એવી શું ભૂલ ?
-
તો કહે આવી ને આવી ભૂલો, જે ને તે ભૂલો.
-
અરિહંત આખું ઊડી ગયા મૂઆ !
-
નાના નાના આ છોકરાં સમજે એવી વાત!!!
-
તો કહે મને કોણ દેખાડે આ ભૂલ ?
-
ભૂલ દેખાય એટલે તમને સમજાય કે ના સમજાય ?
-
હા સમજાય છે.
-
તે સાધુ-આચાર્યોય કહે છે ને તમે સમજણ પાડી એટલે મને સમજણ પડી.
-
આ હવે અમે ના, હવે અમે ના ભૂલીએ.
-
ત્યારે મૂઆ ! પણ પહેલે કેમ ના સમજણ પડી ?
-
ત્યારે કહે એવડું મોટું અમારું મગજ ક્યાંથી હોય કહે છે,
-
તે બેકને હઉ જોઈ શકે ?
-
અમારું તો ફ્રન્ટને જ જોતું નથી તો આ ક્યાં ?
-
એ તો વિજ્ઞાની હોય તેનું કામ છે
-
એ કે ફ્રન્ટનેય જોઈ શકે, બેકનેય જોઈ શકે, પસ્પેક્ટિવનેય જોઈ શકે.
-
બધે એવરીવેર જોઈ શકે.
-
બરાબર.
-
આ તો એનું કામ.
-
એટલે નમો સિદ્ધાણં. તમને સમજ પડી ને ?