આ છે,વતુઁળના ઢાંચામા બનાવામાં આવેલુ કિન્ડરગાર્ટન, જે ૨૦૦૭મા બનાવવામા આવેલુ છે. તેની છત અંતહીન રીતે ફેલાયેલી છે. માતા-પિતા તો જાણતા જ હશે કે, બાળકોને વર્તુળ બનાવવા સૌથી વધુ પસંદ હોઈ છે. અેની છત એવી રીતે જ રીતે બનાવવામા આવી છે, શા માટે એવી રીતે? કિન્ડરગાટનના આચાર્યઅે જણાવ્યુ કે , "ના, મને કઠેરાની જરૂર નથી." મે જણાવ્યું, "તે અશકય છે." પરંતુ તેમનો આગ્રહ હતો કે , "જાળ ને છતની ધાર પર લગાવીએ તો કેવું ?, તો ગબડી પડતા બાળકોને એ જીલી શકે." (હાસ્ય) મે જણાવ્યું કે, "તે અશકય છે." અને અલબત,સરકારી અધીકારી એ પણ જણાવ્યું કે, "કઠેરાની જરુર છે." આપણે જરુરથી વૃક્ષ ની આજુબાજુ, જાળ લગાવી શકીએ. તેવા ત્રણ વૃક્ષો છે, જેને અાપણે દોરડાની જાળ લગાવી શકીએ, જે ને કઠેરાે ગણી શકાય. પણ, દોરડાને એની સાથે કોય લેવા-દેવા નથી. એ લોકો કુદશે જાળ પર. થોડાક, થોડા વધારે, હજી થોડા વધારે. (હાસ્ય) અને કયારેક તો પુરા ચાલીસ. પેલો ડાળી પર છોકરો છે, એને વૃક્ષ બહુ ગમે છે, તેથી એને બટકું ભરી રહ્યો છે. (હાસ્ય) અને કોયપણ , સમારોહ વખતે , એ લોકો આવી રીતે છતની ધારે બેસે છે. અે ખુબ જ સુંદર લાઞે છે. જાણે કે, પ્રાણીસંગ્રહાલયના વાંદરા. (હાસ્ય) જમવાનો સમય. (હાસ્ય) (તાળીઓ) અમે છત થોડી ઢળતી રાખી છે, કારણ કે, અમે બાળકોને છત પર જોય શકીએ. માત્ર છત નીચે જ નહિ. જો છત બહુ ઊંચી હોય તો, માત્ર છતને જ નીહાળી શકાય. અને છે અા પગ ધોવાની જગ્યા, અને એમાં અલગ-અલગ પ્રકારના નળ લગાવેલ છે. પેલી નળી જોય, એનાથી તેઅો તેમના મિત્રોપર પાણી ઉડાવી શકે છે, તેમને ભીંના પણ કરી શકે છે. આ ઘણું સામાન્ય લાઞે, પણ પેલો બાળક, એના જૂત્તા ધોઈ નથી રહ્યો, પણ એમા પાણી ભરી રહ્યો છે. (હાસ્ય) આ કિન્ડરગાર્ટન,આખું વર્ષ ચાલુ રહે છે. કોયપણ જાતની અંદર-બાહરની સીમા નથી, માત્ર છે, તો છત. વગઁખંડ વચ્ચે કોય સીમા નથી. કોયપણ પકારની હદ નથી. ઘણીવાર બાળકો ને બંધરૂમ માં રાખવાથી, ઘણાખરા બાળકો વ્યાકુલ થય જતા હોઈ છે, પણ આ કિન્ડરગાર્ટનમા, વ્યાકુળ થવાનું,કોઈ કારણ જ નથી. કારણકે,અહિયાં કોઈ જ અવરોધ નથી. આચાર્યા એ કહ્યું, 'અગર , પેલા ખૂણા માં ઉભેલો બાળક, વર્ગખંડ માં રહેવા નથી માંગતો, તો અમે તેને બહાર જવા દયેએ છીએ. આ ગોળાકારમાં ફેલાયેલું છે, એ આખરે અહિયાં જ પાછો આવશે. (હાસ્ય) પણ સવાલ અ છે કે આના પાછળ નો હેતુ શું છે? બાળકો સંતાય જતા હોઈ છે, પણ અહિયાં જતા રહે છે, પણ વળી ને પાછા અહિયાં જ આવે છે. આ સ્વાભાવિક છે. અને બીજું અમે માનીએ છે , શોરબકોર - અવાઝ ખુબ જ મહ્તવનો છે. તમે જાણો છો ? બાળકો શોરબકોરમાં વધારે સારી રીતે સુવે છે. સુવા માટે, શાંત જગ્યા થોડી ઓછી પસંદ કરે છે. તેમ છતાં,આ કિન્ડરગાર્ટનમાં, બાળકોની એકાગ્રતા અદ્દભૂત છે. આપણે પણ , શોરબકોર માં જંગલમાં જ મોટા થયા છીએ. શોરબકોર આપણને પણ ગમે છે. તમે ઘોંઘાટ વળી જગ્યામાં પણ, તમારા મિત્રો સાથે વાતો કરી શકો છો. તમને પણ શાંત વાતાવરણ માં રેહવું, ઓછું પસંદ આવે છે. અને આજકાલ, આપણે બધું નિયંત્રણમાં રાખવા માંગીએ છીએ પણ , અહિયાં બધી જ છૂટ છે, એ પણ તમારે જાણવું જોયે. આપણે 20 ડિગ્રી તાપમાન માં સ્કીઈંગ કરી શકીએ છીએ, અને ઉનાળા માં સ્વીમ્મીંગ કરીએ છીએ, જયારે રેતી 50 ડિગ્રી તપેલી હોઈ છે. આ પણ તમારે જાણવું જરુરી છે કે , તમે જલરોધક છો, વરસાદમાં ઓગળી નહિ જાવ. બાળકો ને વધુ પડતા ખુલ્લા વાતાવરણમાં, રેહવા દેવા જોયે. એમનો આવી રીતે જ ઉચ્છેર કરો. આવી રીતે વર્ગખંડ અલગ કરવામાં આવ્યા છે, બાળકોએ,તેમના શિક્ષકો ને મદદ કરાવી જોયે, જો કે તેઓ ,કરતા નથી. (હાસ્ય) ના , મેં નથી બેસાડ્યો અન્દર એને. આ છે વર્ગખંડ. અને આ જલ્કુંડી . એની ફરતે વિટળાયને,તેઓ વાતો કરતા રહે છે. એક વર્ગખંડમાં એક વૃક્ષ તો હોય જ છે. આ જુઓ,એક બારકસ,ઉંપરવાળા બારકસ ને, પકડવા પ્રયત્ન કરી રહ્યો છે. (હાસ્ય) તોફાની બારકસો. (હાસ્ય) દરેક વર્ગખંડ ને, એક તો બારી છે જ, અને નાતાલ ના સમય માં, અહિયાં સંતા ક્લૌસે આવે છે. આ અન્નેક્ષ ઈમારત છે, જે લંબગોલ કિન્ડરગાર્ટનની, જમણી બાજુ માં આવેલ છે. જે પાંચ મીટર ઊંચું છે, અને સાત માળનું બનેલું છે. છત ની ઉંચાય બહુ જ ઓછી રાખેલી છે. સલામતી માટે સૌથી પેહલા વિચારવું રહ્યું. આપણે આપના બાળકો - દીકરા ને દીકરી ને મોક્લીશું, એ લોકો અંદર જશે. આ જુઓ,માથું ભટકાયું. તે સલામત છે,એની ખોપડી મજબૂત છે. તે જલ્દીથી મૂળ પરિસ્થિતિમાં, આવવા ટેવાયેલો છે.તે મારો દીકરો છે. (હાસ્ય) એ અંદાજ લગાવી રહ્યો છે, અહિયાથી કુદકો મારવો કેટલો સલામત છે? અને પાછળ પાછળ,બીજા બાળકો . ટોક્યોમાં,વાહનવ્યવહાર સ્થગીત થવું, ગંભીર મનાય છે. (હાસ્ય) ચાલક મોખરે છે, એને શીખવું જરૂરી છે,કે કેમ આગળ વધવું ? ક્યારેક, બાળકોને ભય વિષે પણ શીખવાડવાની જરૂર હોઈ છે. અને આવા સમયે, એકબીજાની કેવી રીતે મદદ કરવી, એ શીખવા મળતું હોઈ છે. આપણે સમાજ માં રહીએ એ છીએ, પણ આ તક આપણે ગુમાવી દીધી છે. આ ચિત્ર બાળક ની 9:10 થી 9:30 વચ્ચેની સક્રિયતા બતાવે છે, આ ઈમારત નો ઘેરાવો,183 મીટર છે. આ બાળકે, સવાર-સવારમાં 6000 મીટર, અંતર કાપ્યું છે, અને આ ઘણું વધારે કેહવાય. આશ્ચર્યની વાત તો એ છે કે, આ કિન્ડરગાર્ટનના બાળકો, સરેરાશ 4000 મીટેર કાપતા હોઈ છે. બીજા બાળકોની સરખામણીમાં, આ બાળકો શરીરક રીતે ઘણા ખડતલ હોય છે. આચાર્ય એ જણાવ્યું કે, હું એમને તાલીમ નથી આપતો, છુટા મુક્કી દયે છીએ, ઘેટા-બકરાં ની જેમ. (હાસ્ય) અને એ લોકો દોડ્યા કરે છે. (હાસ્ય) મુદ્દાની વાત એ છે કે, એમને નિયંત્રણ માં ના રાખો, એમનો બચાવ કરવાની જરૂર નથી, એમને ક્યારેક ગબડવા દો, એમને ક્યારેક વાગવું જોયએ. આજબધું એમને શીખવાsશે કે, આ દુનિયામાં કેવી રીતે જીવવું જોયે. મને લાગે છે,આ ઢાંચો લોકોની જીંદગી અને દુનિયા, બદલવા સક્ષમ છે. આ એક પ્રયત્ન છે, બાળકોની જીવનશૈલી બદલવાનો. તમારો ખુબ-ખુબ અભાર ! (તાળીઓ)